Tar fencing Scheme Improvement: ખેડૂતો માટે સારા સમાચાર! ભૂપેન્દ્ર પટેલ સરકારે આ યોજનામાં કર્યો મોટો બદલાવ, જાણો નવા લાભો
Tar fencing Scheme Improvement: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર! રાજ્ય સરકાર દ્વારા પાકને જંગલી પ્રાણીઓ અને ઢોરથી સુરક્ષિત રાખવા માટે આપવામાં આવતી તાર ફેન્સીંગ સહાય યોજનામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ખેડૂતોની રજૂઆતો બાદ સરકારે નવું સુધારિત મોડલ જાહેર કર્યું છે, જે ખેડૂતો માટે વધુ અનુકૂળ અને લાભદાયી બનશે.
શુધારાઓ અને ખેડૂતો માટે ફાયદા:
તાર ફેન્સીંગની ઊંચાઈ અને પહોળાઈના નિયમોમાં 25% છૂટ: હવે ખેડૂતો તેમની જરૂરિયાત મુજબ ફેન્સીંગ બનાવી શકશે.
ISI માર્કની મર્યાદા દૂર: હવે ખેડૂતો પોતાની પસંદગીની સામગ્રી ખરીદી શકશે, પરંતુ જીએસટી બિલ ફરજિયાત રહેશે.
થાંભલાઓ વચ્ચે અંતરના નિયમમાં છૂટ: અગાઉ 3 મીટરનું અંતર ફરજિયાત હતું, જે હવે 25% સુધી લવચીક રહેશે.
સપોર્ટ પિલરના નિયમમાં રાહત: હવે ખેડૂતો 15-15 મીટરના અંતરે સપોર્ટ પિલર લગાવી શકશે.
યોજનાના અમલ માટે મહત્વની માહિતી:
યોજનાનો હેતુ: ખેડૂતોના પાકને જીવલેણ નુકસાનથી બચાવવો અને કૃષિ ઉત્પાદન સુરક્ષિત રાખવું.
સહાય રકમ: કુલ ખર્ચના 50% કે 100 પ્રતિ મીટર (જે ઓછું હોય) સુધી સહાય મળી શકે.
સહાયની ચુકવણી: સહાય બે હપ્તામાં ચુકવાશે – પ્રથમ તબક્કામાં ફેન્સીંગ સ્થાપન બાદ 50% સહાય, અને બીજો હપ્તો યોજનાની સમાપ્તી પછી.
આવેદન પ્રક્રિયા: ખેડૂતો અથવા ખેડૂતોના જૂથો અરજી કરી શકે છે. અરજી સાથે વર્ગ 7/12, 8A અને આધાર કાર્ડની નકલ જરૂરી રહેશે.
ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. નવી સુધારાયેલી તાર ફેન્સીંગ યોજના પાકને સુરક્ષિત બનાવશે અને ખેડૂતોના આર્થિક નુકસાનને ટાળવામાં સહાયરૂપ થશે.