4.5 C
London
Saturday, November 22, 2025

Support Price Announcement : ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર: ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી 21 એપ્રિલથી શરૂ થશે

Support Price Announcement : ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર: ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી 21 એપ્રિલથી શરૂ થશે

Support Price Announcement : ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. કારણ કે ભારત સરકારે 2024-25ની રવિ સીઝન માટે ચણા અને રાયડાના પાક માટે ટેકાના ભાવની ખરીદી જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર 21 એપ્રિલથી ગુજરાતમાં ટેકાના ભાવે સત્તાવાર રીતે ખરીદી શરૂ કરવામાં આવશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે માહિતી આપતા કહ્યું કે, ચણા માટે રૂ. 5,650 પ્રતિ ક્વિન્ટલ (અથવા રૂ. 1,130 પ્રતિ મણ) અને રાયડાના પાક માટે રૂ. 5,950 પ્રતિ ક્વિન્ટલ (અથવા રૂ. 1,190 પ્રતિ મણ) ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આ ભાવ હેઠળ રાજ્યના ખેડૂતો પાસે ચણા અને રાયડાના પાકની ખરીદી માટે વ્યવસ્થિત આયોજન થયું છે.

Support Price Announcement

ટેકાના ભાવે વેચાણ માટે ચણાના 3.36 લાખ મેટ્રિક ટન જથ્થાની ખરીદી થશે, જેના માટે અંદાજે રૂ. 1,903 કરોડનું મૂલ્ય નક્કી થયું છે. બીજી તરફ, રાયડાના 1.29 લાખ મેટ્રિક ટન જથ્થાની ખરીદી રૂ. 767 કરોડના મૂલ્ય સાથે કરવામાં આવશે.

ગુજરાતભરમાં ચણાના વેચાણ માટે 179 અને રાયડાના વેચાણ માટે 87 ખરીદ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં નોંધાયેલા ખેડૂતો તેમના પાકને ટેકાના ભાવે વેચી શકશે. અત્યારસુધીમાં રાજ્યના 3.36 લાખથી વધુ ખેડૂતો ચણાની અને 1.18 લાખથી વધુ ખેડૂતો રાયડાની વેચાણ માટે નોંધણી કરી ચૂક્યા છે.

આ પહેલ અંતર્ગત ખેડૂતોને સરકારી યોજનાનો સીધો લાભ મળશે અને તેઓને તેમની મહેનતના યોગ્ય મૂલ્ય સાથે ન્યાય મળે તે સુનિશ્ચિત થશે. ભારત સરકારની “પીએમ આશા યોજના” હેઠળ લેવામાં આવતી ટેકાના ભાવની ખરીદી ખેડૂતકલ્યાણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img