PM Modi In Ahmedabad: PM મોદી વિમાન દુર્ઘટનાની તપાસ માટે સ્થળ પર પહોંચ્યા, તમામ સ્થિતિઓની સમીક્ષા કરી
PM Modi In Ahmedabad: એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ પહોંચી ઘટનાસ્થળે તપાસ કરી. તેમની સાથે નાગરિક ઉડ્ડયન મંત્રી રામનોહન નાયડુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ પણ જોડાયા હતા.
પીએમ મોદીએ જે હોસ્ટેલમાં વિમાન તૂટી પડ્યું ત્યાં મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું. દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 266 લોકોના મોત થયા છે, જેમાંથી મોટાભાગના મુસાફરો વિમાનમાં હતા જ્યારે કેટલાક નાગરિકો ઘટનાસ્થળે હાજર હતાં.
વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે પીએમ મોદી સીધા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને તબીબો તથા અધિકારીઓ પાસેથી સારવારની વિગતો મેળવી. વડાપ્રધાને સૌને સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપી છે.
ઉડ્ડયન મંત્રી નાયડુએ પીએમ મોદીને વિમાન દુર્ઘટનાના તમામ પરિબળો અને તપાસની પ્રાથમિક વિગતો આપી. એર ઈન્ડિયાએ AI-171 ફ્લાઇટના મુસાફરોના પરિવારજનોને સહાય કરવા માટે ચાર શહેરોમાં મદદ કેન્દ્રો ચાલુ કર્યા છે—અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને લંડન (ગેટવિક).
વિમાનમાં 242 યાત્રીઓ અને કર્મચારી સ્ટાફ હતા. યાત્રીઓમાં 169 ભારતીય નાગરિકો હતા ઉપરાંત યુકે, પોર્ટુગલ અને કેનેડાના મુસાફરોનો પણ સમાવેશ થયો હતો.