-0.3 C
London
Thursday, November 20, 2025

Junagadh Municipal Corporation: મનમેળે ભરતી? જૂનાગઢ પાલિકામાં લાયકાત વિના કર્મચારીઓ બેઠા મોટા હોદ્દા પર

Junagadh Municipal Corporation: મનમેળે ભરતી? જૂનાગઢ પાલિકામાં લાયકાત વિના કર્મચારીઓ બેઠા મોટા હોદ્દા પર

Junagadh Municipal Corporation: જૂનાગઢ મહાનગરપાલિકામાં અનફિટ અને લાયકાત વગરના કર્મચારીઓને મહત્વની જગ્યાઓ પર નિમણૂક કરવાના આક્ષેપો સામે આવ્યા છે. પૂર્વ કોર્પોરેટર અને વોર્ડ નં. 1ના પૂર્વ પ્રતિનિધી અશોક ચાવડાએ ગંભીર આક્ષેપ મૂકતા જણાવ્યું કે પાલિકામાં વ્યવસ્થાપન નક્કર થકી ચલાવવામાં આવતું નથી અને અનુભવી કર્મચારીઓની જગ્યાએ લાયકાત વગરના કર્મચારી શાખાના ઈનચાર્જ તરીકે કાર્યરત છે.

‘પટાવાળા’માંથી ઈનચાર્જ સુધીની અયોગ્ય નીમણૂકો?

અશોક ચાવડાએ દાવો કર્યો કે જે કર્મચારીઓ અગાઉ માત્ર ‘પટાવાળા’ તરીકે જોડાયા હતા, તેઓ આજે મહાનગરપાલિકાની વિવિધ શાખાઓના વડા તરીકે બેઠેલા છે. તેમણે એવી શાખાઓનું ઉલ્લેખ કર્યો જેમાં બાંધકામ, ટેક્સ, સફાઈ, ગાર્ડન, વાહન વ્યવહાર, લીગલ અને રેવન્યુ વિભાગનો સમાવેશ થાય છે – જ્યાં અપ્રશિક્ષિત કર્મચારીઓનું વહન જાળવાતું હોવાનું જણાવ્યું.

Junagadh Municipal Corporation

તેમના જણાવ્યા અનુસાર, કેટલાંક વર્ગ-4 હોદ્દાના કર્મચારીઓને સીધી રીતે વર્ગ-2 અથવા ઉચ્ચ હોદ્દા પર બેસાડી દેવામાં આવ્યા છે, જે ન માત્ર વ્યવસ્થાપન માટે ખતરા રૂપ છે, પણ સામાન્ય જનતાને પણ રોજિંદા કામોમાં વિલંબનો સામનો કરવો પડે છે.

અધિકારીઓને લેખિત રજૂઆત

આ મુદ્દા પર પૂર્વ કોર્પોરેટર ચાવડાએ શહેરના ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજૂઆત પણ કરી છે. તેમણે જણાવ્યું કે, વોર્ડના વિકાસકાર્યો માટે જ્યારે પત્રવ્યવહાર કરવાની જરૂર પડે છે ત્યારે કર્મચારીઓની લાયકાતની ઉણપના કારણે તે વિલંબિત બને છે.

Junagadh Municipal Corporation

કમિશ્નર ડો. ઓમ પ્રકાશનો જવાબ

આ વિવાદ પર જવાબ આપતાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર ડૉ. ઓમ પ્રકાશે સ્વીકાર્યું કે હાલ પાલિકા વિવિધ શાખાઓમાં સ્ટાફની તીવ્ર અછતથી પીડાય છે. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી સ્ટાફ ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ લગભગ 200થી વધુ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, એન્જિનિયર, હેલ્થ વિભાગ સહિતના હોદ્દાઓ માટે ભરતી ચાલુ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, હાઈકોર્ટના આદેશ મુજબ નવું ફાયર સ્ટેશન સ્થાપવા માટે પણ જરૂરી સ્ટાફની પસંદગી માટે કાર્યવાહી ચાલી રહી છે. કમિશ્નરનું મંતવ્ય છે કે આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની નિમણૂક થવાથી મહાનગરપાલિકા વધુ કાર્યક્ષમ અને જવાબદાર બની શકે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img