Gyan Sadhana Scholarship : જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા સફળ પૂર્ણ, 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને મળશે સહાય
Gyan Sadhana Scholarship : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું સફળ આયોજન આજે શનિવારે, સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 સુધી કરાયું હતું. આ પરીક્ષા માટે રાજ્યભરના આશરે 6 લાખ વિદ્યાર્થીએ પોતાનું જ્ઞાન બતાવવાનો અવસર મેળવ્યો હતો. પરીક્ષા માટે કુલ 2553 કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા.
આ સ્કોલરશીપ પરીક્ષા મુખ્યત્વે એ વિદ્યાર્થીઓ માટે છે જેમણે સરકારી, ગ્રાન્ટેડ અથવા RTE હેઠળના શાળામાં અભ્યાસ કર્યો છે. પરીક્ષામાં 120 ગુણના બહુ વિકલ્પવાળા પ્રશ્નો પૂછાયા હતા, જેને માટે વિદ્યાર્થીઓને 150 મિનિટનો સમય મળ્યો હતો.
25,000 વિદ્યાર્થીઓને મળશે ફાયદો
પરીક્ષામાં સફળતા મેળવનાર કુલ 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધીની સ્કોલરશીપ મળશે. ખાસ વાત એ છે કે આ સ્કોલરશીપ આધારિત પસંદગી પણ આદિજાતિ વિકાસ વિભાગની 74 આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ માટે માન્ય રહેશે.
મૂળમાં આ પરીક્ષા 29 માર્ચે યોજાવાની હતી, પણ કાર્યક્રમમાં ફેરફારને કારણે આજે પુનઃઆયોજન કરાયું છે.
સ્કોલરશીપની રકમ અને નિયમો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત દર વર્ષે 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને:
ધોરણ 9 અને 10 માટે દર વર્ષે ₹20,000
ધોરણ 11 અને 12 માટે દર વર્ષે ₹25,000
તેમજ ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને પણ લાભ મળશે.
આ રકમ સીધી જ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે. જોકે, આ માટે તેમના માટે 80% હાજરી ફરજીયાત રહેશે. જો કોઈ વિદ્યાર્થી નાપાસ થાય, સ્કૂલ છોડે, અથવા કોઈ શિસ્તભંગ કરે તો સ્કોલરશીપ રોકાઈ શકે છે.