1.4 C
London
Thursday, November 20, 2025

Free Entry to Ramvan on Ram Navami : રામનવમી પર રાજકોટના ‘રામવન’માં નિઃશુલ્ક પ્રવેશ, નગરજનો માટે અનોખી તકો

Free Entry to Ramvan on Ram Navami : રામનવમી પર રાજકોટના ‘રામવન’માં નિઃશુલ્ક પ્રવેશ, નગરજનો માટે અનોખી તકો

Free Entry to Ramvan on Ram Navami : રાજકોટ શહેરમાં આવેલા કિશાન ગૌ શાળા રોડ પર વિકસાવવામાં આવેલ “રામવન” હવે શહેરના નાગરિકો માટે આધ્યાત્મિક શાંતિ અને પ્રકૃતિની નજીક જવા માટેનું અનોખું કેન્દ્ર બની ગયું છે. રામનવમીના પાવન અવસરે, તા. 6 એપ્રિલ 2025ના રોજ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને “રામવન”ની મુલાકાત માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા ખાસ વિકસાવવામાં આવેલ આ અર્બન ફોરેસ્ટને ભગવાન શ્રી રામના જીવન પ્રસંગો અને સંસ્કૃતિક વારસાને આધારે આકાર આપવામાં આવ્યો છે. અહીં શ્રીરામજીના જીવનના વિવિધ પ્રસંગોને દર્શાવતી વિશાળ પ્રતિમાઓ, શિલ્પો અને કુદરતી સૌંદર્યથી પરિપૂર્ણ વાતાવરણ પ્રવાસીઓને આધ્યાત્મિક અનુભવ આપે છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ, “રામવનનું નિર્માણ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવનમાંથી લોકોને પ્રેરણા મળે અને તેમણે શાંતિ તથા આધ્યાત્મિકતા તરફ આગળ વધે તે હેતુથી કરવામાં આવ્યું છે. રામનવમીના દિવસે લોકો મોટી સંખ્યામાં આવી રામવનની મુલાકાત લે, તે માટે દર વર્ષે આ દિવસે નિઃશુલ્ક પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવે છે.”

Free Entry to Ramvan on Ram Navami

વિશેષતા:

રામજીના જીવન પ્રસંગોને દર્શાવતાં શિલ્પચિત્રો

કુદરતી વૃક્ષો અને શાંતિભર્યું વાતાવરણ

બધાં વય જૂથના લોકો માટે પ્રવેશ ખુલ્લો

રસપ્રદ ફોટો પોઈન્ટ્સ અને આધ્યાત્મિક સંવેદનાઓ

રવિવાર અને જાહેર રજાના દિવસે લોકો અહીં પરિવાર સાથે ટહેલવા, આરામ કરવા અને શાંતિના પળો માણવા માટે મોટી સંખ્યામાં ઉમટે છે. આવતીકાલે રામનવમીના દિવસે પણ લોકો આ સ્થાનની મુલાકાત લઈ શકશે – તે પણ કોઈ ટિકિટ વિના!

રાજકોટ મહાનગરપાલિકાની આ પહેલ એ આધ્યાત્મિકતા અને પ્રકૃતિના મિસ્રણનો ઉત્સવ છે. રાજકોટવાસીઓએ આ અનોખી તક ગુમાવવી જોઈએ નહીં!

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img