4.5 C
London
Saturday, November 22, 2025

Elevated Corridor : લાખો વાહનચાલકો માટે રાહત! 2026 સુધી પૂર્ણ થશે 41.90 કિમીનો એલિવેટેડ કોરિડોર અને એક્સપ્રેસવે

Elevated Corridor : લાખો વાહનચાલકો માટે રાહત! 2026 સુધી પૂર્ણ થશે 41.90 કિમીનો એલિવેટેડ કોરિડોર અને એક્સપ્રેસવે

Elevated Corridor : ગુજરાતમાં દહેજ PCPIR માટે વધુ સારી માર્ગ કનેક્ટિવિટી વિકસાવવામાં આવી રહી છે. 41.90 કિમી લાંબા એલીવેટેડ કોરિડોર અને એક્સપ્રેસ વેનું નિર્માણ 2026ના અંત સુધી પૂર્ણ થવાની શક્યતા છે, જેનાથી લાખો વાહનચાલકોને રાહત મળશે.

દહેજ-ભરૂચ યાતાયાત માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરૂચ-દહેજ રોડ પર મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં આ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી, જેનાથી દહેજ અને ભરૂચ વચ્ચે ટ્રાફિકનું સંચાલન સુગમ બનશે.

મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની વિગતો:

ભોલાવ-શ્રાવણ જંકશન (3.40 કિમી):

6 લેન એલીવેટેડ કોરિડોર

અંદાજિત ખર્ચ: ₹440 કરોડ

માનુબાર-દહેજ (38.50 કિમી):

એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસવે

અંદાજિત ખર્ચ: ₹972 કરોડ

આ બંને પ્રોજેક્ટને મળીને કુલ ₹1412 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. દહેજ PCPIR, જે દેશના 4 મહત્વપૂર્ણ PCPIRમાંનો એક છે, માટે આ માર્ગ જોડાણ વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Elevated Corridor

ટ્રાફિક અને પરિવહન માટે લાભ

દહેજ ઔદ્યોગિક વિસ્તાર અને દહેજ પોર્ટને અમદાવાદ-મુંબઈ માર્ગ સાથે જોડતા આ નેટવર્કને કારણે વાહન વ્યવહાર સરળ બનશે. હાલમાં ભરૂચ-દહેજ માર્ગ પર 4 જંકશન હોવાથી ટ્રાફિકમાં અવરોધ સર્જાય છે, જે આ નવી વ્યવસ્થાથી દૂર થઈ જશે.

સરકારી સમીક્ષા અને આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ પ્રોજેક્ટની સમીક્ષા કરી. અહેવાલ મુજબ, એલીવેટેડ કોરિડોરનું 50% કામ પૂર્ણ થઈ ગયું છે, અને 31 માર્ચ 2026 સુધીમાં બાકી રહેલું કામ પૂર્ણ કરવાનું આયોજન છે.

સાથે જ 38.50 કિમી એક્સપ્રેસ વેનું નિર્માણ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ એક્સપ્રેસ વેમાં 7 ફ્લાયઓવર અને 15 અંડરપાસ હશે, જે 15 ગામોના 16 લાખથી વધુ લોકોને ઉપયોગી સાબિત થશે.

ટ્રાફિક ઘટાડો અને ઈંધણ બચત

આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ, દહેજ જતાં લગભગ 60,000 વાહનોનું કોમર્શિયલ ટ્રાફિક શહેરી વિસ્તારમાંથી અલગ થઈ જશે, જેનાથી યાત્રી સમય બચશે અને ઈંધણની બચત થશે.

રાજ્ય સરકાર દ્વારા આ મિશનને પ્રાથમિકતા આપવામાં આવી છે અને નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે દિશા નિર્દેશ અપાઈ રહ્યા છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img