4.5 C
London
Saturday, November 22, 2025

Congress In charge Mukul Wasnik On Gujarat Tour : ગુજરાત કોંગ્રેસમાં નવસર્જનની તૈયારી: નુકસાન પહોંચાડનારા નેતાઓ સામે પગલાં, રાહુલ ગાંધીના માર્ગદર્શનમાં કાર્ય શરૂ – પ્રભારી મુકુલ વાસનિક

Congress In charge Mukul Wasnik On Gujarat Tour : ગુજરાત કોંગ્રેસમાં નવસર્જનની તૈયારી: નુકસાન પહોંચાડનારા નેતાઓ સામે પગલાં, રાહુલ ગાંધીના માર્ગદર્શનમાં કાર્ય શરૂ – પ્રભારી મુકુલ વાસનિક

Congress In charge Mukul Wasnik On Gujarat Tour : 7 અને 8 માર્ચે ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ રાજ્યની કોંગ્રેસમાં નવસર્જન માટે સંકેત આપતા પાર્ટી કાર્યકરોમાં નવી ઉર્જા ફૂંકી હતી. તેમણે ખુદ સ્વીકાર્યું કે, “હું, સેક્રેટરી, અધ્યક્ષ – અમે નિષ્ફળ ગયા છીએ, અને હું આ વાતને સ્વીકારવામાં કોઈ શરમ અનુભવતો નથી.” તેમણે વધુમાં કહ્યું કે, “જો પાર્ટીને મજબૂત બનાવવી હોય, તો બે જૂથોની વચ્ચે કોઈ દ્રષ્ટિકોણ અપનાવવા પડશે. જો 10થી 15 નેતાઓને પાર્ટીમાંથી બહાર કાઢવા પડે, તો તે પણ કરીશું.”

પ્રભારી મુકુલ વાસનિકે રાહુલ ગાંધીના સંદેશાને ગંભીરતાથી લીધો

ગુજરાત કોંગ્રેસના નવસર્જનના પ્રયાસો શરૂ થઈ ગયા છે, અને કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે આજે અમદાવાદમાં જાહેરાત કરી કે, “રાજ્યમાં જે નેતાઓ કોંગ્રેસમાં રહીને જ પક્ષને નુકસાન કરી રહ્યા છે, તેમની ઓળખ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત દરમિયાન જે દિશાનિર્દેશ આપ્યા છે, તેના પર ગંભીરતાથી કામ થશે.”

8 અને 9 એપ્રિલે ગુજરાતમાં રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન

ગુજરાતમાં 8 અને 9 એપ્રિલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. આ પૂર્વે, મુકુલ વાસનિકે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી અને સંગઠનને મજબૂત કરવા માટે ચર્ચા-વિચારણા શરૂ કરી.

પાર્ટીમાં ફૂટી પડેલા જૂથવાદ પર કાર્યવાહી થશે

મુકુલ વાસનિકે સ્પષ્ટ કર્યું કે, “ભાજપ સમગ્ર દેશમાં વિપક્ષોને નબળા પાડવા માટે પ્રયાસ કરી રહ્યું છે, પણ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી માટે દિશા અને માર્ગ સ્પષ્ટ છે. સંગઠનને મજબૂત કરવા માટે જે જરૂરી પગલાં લેવા પડશે, તે લેવામાં આવશે.”

રાહુલ ગાંધીએ કડક ટકોર કરી

રાહુલ ગાંધીએ 8 માર્ચે જેડ હોલ ખાતે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં 2,000 કાર્યકરોને સંબોધન કર્યું હતું. 45 મિનિટના કાર્યક્રમમાં તેમણે 25 મિનિટના પ્રવચનમાં જ ગુજરાત કોંગ્રેસના નેતાઓને તીખી ટકોર કરી. તેમણે જણાવ્યું કે, “ગુજરાત કોંગ્રેસના અડધા નેતા ભાજપ સાથે મળેલા છે. જો પાર્ટીનો વોટ શેર ફક્ત 5% પણ વધે, તો આ બધું બદલાઈ જશે.”

આ ત્રાટકતા સંદેશા બાદ, ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ફેરફારોની શકયતા વધી છે. જે નેતાઓ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે, તેમની સામે કડક પગલાં લેવા કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img