Bhavnagar soldier martyred in Kashmir: ભાવનગરનો જવાન કાશ્મીરમાં શહીદ: હોસ્પિટલમાં સૈનિકોએ સલામી આપી
Bhavnagar soldier martyred in Kashmir: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામનો અગ્નિવીર જવાન જયદીપ ડાભી જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ દરમ્યાન વીરગતિ પામી ગયો હતો. આ દુઃખદ સમાચાર મળતાં જ તેના પરિવારજનો અને સમગ્ર ગામમાં ગમગીન વાતાવરણ છવાયુ હતું…
જયદીપ ડાભી એર ડિફેન્સ રેજિમેન્ટમાં દેશની સરહદ પર ફરજ બજાવી રહ્યા હતા… અને તેની શહાદતથી ભાવનગરમાં ગાઢ શોકનો માહોલ થયો છે. બે દિવસ પહેલા તેનો પાર્થિવ દેહ તેના પરિવારને મળ્યો હતો. જમ્મુથી હવાઈ અને બાદમાં રોડ માર્ગે શહીદ જવાનનો પાર્થિવ દેહ ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં સૈનિકો અને પૂર્વ સૈનિકોએ તેણે સન્માનપૂર્વક સલામી આપી હતી.
આજ વહેલી સવારે જયદીપ ડાભીના પાર્થિવ દેહને તેમના વતન મોટા ખોખરા ગામ લઈ જવામાં આવ્યો, જ્યાં આખું ગામ અંતિમ યાત્રામાં જોડાયું હતું. જયદીપ ડાભી પરિવારનો મોટો દીકરો હતો અને તેના પિતા પંચરની દુકાન ચલાવે છે. તેના શહીદ થવાની વાત સાંભળતાં પરિવારમાં અચાનક દુઃખનો માહોલ ફેલાયો.
શહીદ જવાનને સેનાના રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી. જ્યારે તેના મૃતદેહને વતન લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે પરિવારજનો સાથે ગામવાસીઓ આંસુઓમાં ડૂબી ગયા હતા. સમગ્ર મોટા ખોખરા ગામે વીર શહીદની એ પરાક્રમગાથા ઊંચા સ્વરથી યાદ કરી અને તેમના શહીદ સન્માનમાં ભાવપ્રગટ કર્યો.