26.2 C
London
Friday, June 13, 2025

Ahmedabad Air India Plane Crash : ફ્લાઇટ 600 ફૂટ પર અને લેન્ડિંગ ગિયર ખુલ્લું! શું ખરાબી પહેલા જણાઈ ગઈ હતી?

Ahmedabad Air India Plane Crash : ફ્લાઇટ 600 ફૂટ પર અને લેન્ડિંગ ગિયર ખુલ્લું! શું ખરાબી પહેલા જણાઈ ગઈ હતી?

Ahmedabad Air India Plane Crash : એર ઇન્ડિયાના વિમાન સાથે થયેલી દુર્ઘટનાને લઈને ઉડ્ડયન જગતમાં અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. કારણ સ્પષ્ટ નથી, પણ એક મુદ્દો ખાસ કરીને નજરમાં આવ્યો છે – ટેકઓફ પછી પણ લેન્ડિંગ ગિયર ઉપર કેમ નહોતું ખેંચાયેલું?

વિશેષજ્ઞ અહેસાન ખાલિદે જણાવ્યું કે જયારે વિમાન 600 ફૂટની ઊંચાઈ પર હતું, ત્યારે લેન્ડિંગ ગિયર નીચે હતું, જે દર્શાવે છે કે ક્રૂએ શક્ય છે ત્યારે પહેલાથી તકલીફ જોઈ લીધી હોય. જો એન્જિન ફેઇલ થયો હતો, તો લેન્ડિંગ ગિયર ન ખેંચવાનો નિર્ણય કદાચ સુરક્ષા માટે લીધો હશે. જોકે સામાન્ય સ્થિતિમાં, ટેકઓફ થતાની સાથે જ લેન્ડિંગ ગિયર ઉપર ખેંચી લેવાય છે.

Ahmedabad Air India Plane Crash

તેઓએ ઉમેર્યું કે વીડિયોમાં વિમાન નીચે આવતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પણ કોઈ વિસ્ફોટ કે તાત્કાલિક ક્ષતિ દેખાઈ નથી. તેનો અર્થ એ થઈ શકે કે પાવર લોસ થયો. જો પક્ષી અથડાયાનું માનીએ તો એથી બંને એન્જિન ઠપ્પ થયાનું શક્ય છે, પણ એવું બને તે સંભાવના ખૂબ ઓછી ગણાય છે.

અન્ય ઉડ્ડયન સલામતી નિષ્ણાત એન્થોની બ્રિકહાઉસે પણ ચિંતા વ્યક્ત કરી છે કે લેન્ડિંગ ગિયરની આ સ્થિતિ ટેકઓફ માટે યોગ્ય ન ગણાય. તેમનું માનવું છે કે તપાસકર્તાઓ હવે દરેક તબક્કાની ઘટનાઓને એકત્ર કરીને કારણ શોધશે.

વિમાનનું પૂરું રનવે ઉપયોગ કરવામાં આવ્યું હતો કે નહીં તે મુદ્દે વિસંગતિ જોવા મળી હતી. કેટલાક નિષ્ણાતો માને છે કે કદાચ વિમાને પૂરતા રનિંગ સ્પીડ વગર ટેકઓફ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફ્લાઇટરાડર 24ના ડેટા અનુસાર વિમાને આખા રનવેનો ઉપયોગ કર્યો હતો.

Ahmedabad Air India Plane Crash

ઉનાળાની કડક ગરમીમાં વિમાની કામગીરી પર અસર પડે છે. 43 ડિગ્રીના તાપમાને હવાની ઘનતા ઘટે છે, જેથી એન્જિનને પુરતો ઓક્સિજન મળતો નથી. પરિણામે બળતણ પૂરતી ઊર્જા આપી શકતું નથી અને ટેકઓફ પાવર ઓછું પડે છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img