3.3 C
London
Thursday, November 20, 2025

Air India Plane Crash: એર ઈન્ડિયા વિમાન ક્રેશ: 169 ભારતીયો અને 60થી વધુ વિદેશી નાગરિકો હતા સવાર, રાજ્યએ પરિવારો માટે હેલ્પલાઇન જાહેર કર્યો

Air India Plane Crash: એર ઈન્ડિયા વિમાન ક્રેશ: 169 ભારતીયો અને 60થી વધુ વિદેશી નાગરિકો હતા સવાર, રાજ્યએ પરિવારો માટે હેલ્પલાઇન જાહેર કર્યો

Air India Plane Crash: આજની તારીખ ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના સાથે લખાઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે આવેલી આ દુર્ઘટનામાં એર ઈન્ડિયાનું એક વિમાન અકસ્માતનો ભોગ બની ગયું.

પ્રારંભિક માહિતી અનુસાર, આ દુર્ઘટના એઝ ટેકઓફ સમયે થઈ છે. ઘટના પછી તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

હેલ્પલાઇન નંબર જાહેર

વિમાન દુર્ઘટના પછી, રાજ્ય સરકારે લોકોની મદદ માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. રાજ્યના સંપર્ક કંટ્રોલ પોઇન્ટ્સ માટે ફોન નં.: 079-232-51900 અને મોબાઈલ: 9978405304 પણ જાહેર કરવામાં આવ્યા છે.

Air India Plane Crash

એર ઈન્ડિયા દ્વારા પુષ્ટિ

એર ઈન્ડિયા એ પુષ્ટિ આપી છે કે, આ વિમાનની ફ્લાઇટ AI-171 આને કારણે દુર્ઘટનાનો ભોગ બની હતી. આ ફ્લાઇટ એ અમદાવાદથી લંડન ગેટવિક માટે ચાલતી હતી.

વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. એમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા.

Air India Plane Crash

પેસેન્જર હોટલાઇન

વિશ્વસનીય માહિતી માટે, એર ઈન્ડિયાએ 1800 5691 444 પર એક ખાસ પેસેન્જર હોટલાઇન નંબર શરૂ કર્યો છે, જેથી લોકો વધુ માહિતી મેળવી શકે.

તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી

તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. દુર્ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની ગાડીઓ પહોચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img