18.1 C
London
Sunday, June 8, 2025

Environment Conclave 2025: ઉદ્યોગકારો માટે જળસંચય અને પર્યાવરણ રક્ષણનો અહમ સંદેશ

Environment Conclave 2025: ઉદ્યોગકારો માટે જળસંચય અને પર્યાવરણ રક્ષણનો અહમ સંદેશ

Environment Conclave 2025: સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના સંયુક્ત પ્રયાસથી સરસાણા ખાતે પ્લેટીનમ હોલમાં ‘એન્વાયરમેન્ટ કોન્કલેવ 2025’ યોજાયું, જ્યાં સુરતના ઉદ્યોગસાહસિકોને જળ સંરક્ષણ, હવા ગુણવત્તા નિયંત્રણ, કાર્બન ક્રેડિટ અને ગ્રીનબેલ્ટ વિકાસ માટે એવોર્ડ્સ આપવામાં આવ્યા.

Environment Conclave 2025

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલએ આ પ્રસંગે ઉદ્યોગકારોને આઠમી પેઢી માટેના ધનને જળસંચય પર ખર્ચ કરવા સૂચન કર્યું. તેમણે કહ્યું કે ઉદ્યોગોને ગુજરાતનો વિકાસ લાવવા સાથે પર્યાવરણ સુરક્ષામાં પણ સંકટમુક્ત પ્રયત્નો કરવાં જોઈએ. ભવિષ્યમાં પાણીના સંકટથી બચવા માટે દરેક લોકોને પાણી બચાવવા માટે જાગૃત થવું જરૂરી છે. પાણી બચાવવાથી જ આઠમી પેઢી માટેની સંપત્તિ કાયમ રહેશે.

Environment Conclave 2025

તેમણે રેઇન વોટર હાર્વેસ્ટીંગનો મહિમા સમજાવતા ઘર, ઓફિસ અને એપાર્ટમેન્ટમાં આ પ્રણાલી અમલમાં લાવવા અનુરોધ કર્યો. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ એક છોડ રોપવાની જનજાગૃતિનું પણ પાયાનું મહત્વ સમજાવ્યું.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img