2.3 C
London
Saturday, November 22, 2025

Gopal Italia Visavadar Bypoll : ‘ભાજપ ઇટાલિયાને ખરીદે તો હું રાજકારણ છોડી દઈશ’: કેજરીવાલનો વિસાવદરથી પડકાર

Gopal Italia Visavadar Bypoll : ‘ભાજપ ઇટાલિયાને ખરીદે તો હું રાજકારણ છોડી દઈશ’: કેજરીવાલનો વિસાવદરથી પડકાર

Gopal Italia Visavadar Bypoll : ગુજરાતના વિસાવદરમાં પેટાચૂંટણીની ઘોષણા થતાંજ રાજકીય ગરમાવો વધ્યો છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અહીં આવી પહોંચ્યા અને ભાજપ સામે ઉગ્ર ટિપ્પણીઓ કરી. તેઓએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા એ તેમના સૌથી મજબૂત અને નિષ્ઠાવાન લીડર છે. જો ભાજપ તેમને પણ ખરીદી લેશે તો તેઓ રાજકારણમાંથી સંપૂર્ણ વિદાય લેવાનું વચન આપે છે.

કેજરીવાલે ભાજપ પર આરોપ મૂક્યો કે તે વર્ષોથી કોંગ્રેસ અને હવે AAPના ધારાસભ્યોને તોડી રાજકીય દલ બદલી કરાવતું આવ્યું છે. તેમણે ઉમેર્યું કે વિસાવદર બેઠક છેલ્લા 18 વર્ષથી ભાજપ જીતવા અસમર્થ રહી છે અને આમ આદમી પાર્ટી અહીં નવી આશા સાથે ઉતરશે.

Gopal Italia Visavadar Bypoll

ઉમેદવારી પત્ર ભરવા પૂર્વે, પાર્ટીએ ભવ્ય જન આશીર્વાદ યાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને પૂર્વ મંત્રી આતિશી ઉપસ્થિત રહ્યા હતા. આતિશીએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા માત્ર ઉમેદવાર નથી, પણ સમગ્ર ખેડૂત સમુદાયના પ્રતિનિધિ તરીકે ઉભા રહ્યા છે.

Gopal Italia Visavadar Bypoll

વિસાવદર બેઠક માટે ઉમેદવારીની છેલ્લી તારીખ 2 જૂન છે. મતદાન 19 જૂને અને પરિણામ 23 જૂને જાહેર થશે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીય લડત દેખાઈ રહી છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img