2.3 C
London
Saturday, November 22, 2025

Dark zone water solution India: બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર લાવવાનું મિશન: શરૂ થયો રિચાર્જ કુવો યોજના

Dark zone water solution India: બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર લાવવાનું મિશન: શરૂ થયો રિચાર્જ કુવો યોજના

Dark zone water solution India: બનાસકાંઠામાં પાણીના ભવિષ્ય માટે એક નવો અધ્યાય શરૂ થયો છે. દાંતીવાડાના ચોડુંગરી ગામમાં રિચાર્જ કુવા માટેના કાર્યનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્યપાલ, વિધાનસભા અધ્યક્ષ અને વિવિધ મંત્રીઓએ હાજરી આપી હતી.

મુખ્યમંત્રીએ ભારતની સેનાઓ માટે “ઓપરેશન સિંદૂર”ની સફળતા માટે અભિનંદન આપ્યા અને કહ્યું કે, જળસંચય હવે માત્ર યોજના નહીં, પણ એક જનઆંદોલન છે. “નરેન્દ્રભાઈએ શીખવ્યું કે પડકારને અવસર બનાવવો જોઈએ. પાણી બચાવવાનો સમય હવે આવ્યો છે.”

Dark zone water solution India

પાટીલએ પણ જણાવ્યું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ ભૂગર્ભ જળ સ્તર વધારવાનો છે. તેમણે ઉમેર્યું કે “જળસંચય છે ત્યારે જીવન છે.” તેમણે જણાવ્યું કે, દરિયા તરફ વહી જતું વરસાદી પાણી હવે જમીનમાં ઉતારવાનું છે, જેથી તે જમીનના પાતાળમાં મિનરલ્સ સાથે સંચિત થઈ શકે.

હર્ષ સંઘવી અને અન્ય નેતાઓએ કુલ 100 કરોડથી વધુ ફાળવણી કરીને આ અભિયાનને વધુ વેગ આપ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 24 લાખથી વધુ રિચાર્જ સ્ત્રોતો બનાવાયા છે. નર્મદા યોજના અને નદીઓ જોડવાના પ્રયત્નોથી બનાસકાંઠા જેવા વિસ્તારો પાણી મેળવી શક્યું છે.

Dark zone water solution India

વિદ્યાનસભા અધ્યક્ષે પણ જણાવ્યું કે, “પાણી એ માત્ર કુદરતી સ્ત્રોત નહીં પણ ભવિષ્યની સલામતી છે.” તળાવો ઊંડા કરવાની પહેલ, ખેતર તરફ પ્રાકૃતિક ખેતી તરફ વળતા ખેડૂતો અને ખેતી માટેનો એકમાત્ર સમર્પિત દ્રષ્ટિકોણ ગુજરાતે રજૂ કર્યો છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img