0.5 C
London
Friday, November 21, 2025

Swami Sadanand Saraswati : કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની માગ: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ વ્યક્ત કર્યો આક્રોશ

Swami Sadanand Saraswati : કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની માગ: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ વ્યક્ત કર્યો આક્રોશ

Swami Sadanand Saraswati : જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના જીવ ગુમાવાનો દુઃખદ બનાવ દેશભરમાં રોષના મોજા ઉઠાવી રહ્યો છે. મૃતકોમાં ત્રણ ગુજરાતી નાગરિકો પણ શામેલ હોવાને લઈને ખાસ કરીને ગુજરાતમાં ઘેરો દુઃખનો માહોલ છે.

આ હુમલા પછી દ્વારકા સ્થિત શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ મજબૂત અને સાફ શબ્દોમાં આ ઘટનાની નિંદા કરી છે. સ્વામીએ દેશવાસીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, કાશ્મીરમાં વધતી આતંકવાદી પ્રવૃત્તિઓને દમન કરવા માટે તરત રાષ્ટ્રપતિ શાસન (President’s Rule) લાગુ કરવું જોઈએ.

“આતંકવાદીઓ ધર્મના નામે નિર્દોષોની હત્યા કરે છે”

શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ તીખા શબ્દોમાં કહ્યું કે, “આતંકવાદીઓ ધર્મના આશ્રય હેઠળ નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યા છે. તેઓ માટે ધર્મનો અર્થ માત્ર હત્યાચાર છે. જેમ ત્રેતાયુગમાં રાવણે અને દ્વાપરયુગમાં કંસે ધર્મના નામે અનિષ્ઠ કાર્યો કર્યા હતા, તેમ આજના સમયમાં આતંકવાદીઓ રાવણ અને કંસના સ્વરૂપે આપણા દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.”

Swami Sadanand Saraswati

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓને મૂળથી નાબૂદ કરવા માટે દેશના તમામ નાગરિકોને ધર્મની ક્ષિતિજથી ઉપર ઉઠીને એકતા બતાવવી આવશ્યક છે.

“અપાર ક્ષમતા ધરાવતી અમારી સેનાઓ”

સ્વામી સદાનંદ સરસ્વતીએ ભારતની સેનાઓના શૌર્ય અને ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, “અમારા દેશની થલસેના, નૌકાસેના અને વાયુસેનામાં એટલી શક્તિ છે કે કોઇપણ મુલ્ક કે આતંકવાદી સંગઠન ભારત સામે યુદ્ધ કરવાની હિંમત કરી શકે નહીં. પરંતુ આંતરિક આતંકવાદ સામે આપણો જવાબ આપણું સૌજન્ય અને એકતા હોવી જોઈએ.”

તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર રાજકીય પ્રયત્નો પૂરતા નથી — હવે રાષ્ટ્રીય એકતાનું દ્રઢ પ્રદર્શન આવશ્યક છે.

“મુસ્લિમ સમુદાયે પણ આતંકવાદનો વિરોધ કરવો જોઈએ”

આગળ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ ભારપૂર્વક કહ્યું કે, “હિંદુઓએ એક થઈને આતંકવાદનો સામનો કરવો જોઈએ અને સાથે જ ભારતમાં વસતા મુસ્લિમોએ પણ ખૂલ્લા હૃદયથી આતંકવાદનો વિરોધ કરીને પોતાની દેશભક્તિ સાબિત કરવી જોઈએ.”

Swami Sadanand Saraswati

તેમણે કહ્યું કે ધર્મને સ્વતંત્રતાથી પાલન કરવાનો અધિકાર દરેક ભારતીય નાગરિકને છે અને તે અધિકારનું રક્ષણ કરવા માટે એકતાનું પ્રદર્શન અત્યંત આવશ્યક છે.

રાષ્ટ્રપતિ શાસનની માગણી: કાશ્મીરમાં કડક પગલાં લેવાની જરૂર

શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ તેમનાં નિવેદનમાં દેશના નેતૃત્વ સમક્ષ સાફ માંગણી મૂકી કે, “કાશ્મીરમાં તરત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ જેથી આતંકવાદ અને દુશ્મન તત્ત્વોને શીખ આપી શકાય.”

તેમણે ઉમેર્યું કે આ પગલાંથી કાશ્મીરમાં ફરી શાંતિ અને સુરક્ષા સ્થાપિત થવા માટે માર્ગ પ્રસસ્ત થશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img