Heatwave Forecast : હીટવેવના પગલે સરકારી સેવાઓના સમયમાં ફેરફાર, જાણો નવું ટાઈમટેબલ
Heatwave Forecast : રાજ્યમાં વધી રહેલા તાપમાન અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા યેલો અને ઓરેંજ એલર્ટને પગલે સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં લોકોના આરોગ્યને સુરક્ષિત રાખવા માટે જિલ્લા પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
હવે કલેકટર કચેરી, ઇ-ધરા કેન્દ્રો, જનસેવા કેન્દ્રો, આધાર કાર્ડ કેન્દ્રો અને પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્રો સહિતની તમામ સરકારી સેવા આપતી જગ્યાઓના સમયગાળામાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે.
નવો સમય જાહેર
સવારનું કાર્ય સમય: 9:00 AM થી 1:00 PM
બપોર પછીનું કાર્ય સમય: 4:00 PM થી 6:00 PM
આ નવી વ્યવસ્થા પહેલાના 10:30 AM થી 6:10 PM ના સમયની જગ્યા લેવાની છે.

ક્યારથી લાગુ પડશે?
આ સમયપદ્ધતિ 21 એપ્રિલ 2025થી 15 જૂન 2025 સુધી અમલમાં રહેશે. હવામાનમાં સુધારો થાય અથવા વધુ કોઈ સૂચના આવે ત્યાં સુધી આ સમયજાળવણી ચાલુ રહેશે.
જાહેર જનતાને સૂચના
જિલ્લા પ્રશાસને જાહેર જનતા તેમજ તમામ કર્મચારીઓને નવી ટાઈમટેબલની જાણકારી આપવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન સરકારી સેવાઓ આપવામાં કોઈ વિલંબ ન થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.



