Gujarat News: ગુજરાતમાં મોટા પાયે વહીવટી ફેરબદલ: મહેસૂલ વિભાગે 157 નાયબ મામલતદાર અને 57 રેવન્યુ ક્લાર્કની બદલી
Gujarat News: રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી સુધારાના ભાગરૂપે રાજ્યભરમાં 157 નાયબ મામલતદારો અને 57 રેવન્યુ ક્લાર્કની બદલીના આદેશ જાહેર કર્યા છે.
સાબરકાંઠામાં સૌથી વધુ બદલી
રાજ્યભરમાં થયેલા વહીવટી ફેરફારોમાં સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ બદલીઓ નોંધાઈ છે. અહીં કુલ 12 નાયબ મામલતદારોની નવી નિમણૂક કરવામાં આવી છે.

ક્યાંથી કયા અધિકારીઓની બદલી થઈ?
સાબરકાંઠામાં નવા 12 નાયબ મામલતદાર:
દાહોદથી: 6
અરવલ્લીથી: 2
રાજકોટ, સુરત, પાટણ અને આણંદથી: 1-1
સાબરકાંઠાથી અન્ય જિલ્લાઓમાં બદલી:
એસ.કે. પ્રજાપતિ: બનાસકાંઠા
હેમાંગીની રતનભાઈ ડામોર: સુરેન્દ્રનગર
જયંતીલાલ કે. ચૌધરી: મહેસાણા
સાબરકાંઠામાં નવા 4 રેવન્યુ ક્લાર્ક:
અરવલ્લીથી: પ્રજ્ઞેશ રસિકભાઈ પટેલ, દીપક અશોકભાઈ સુથાર
દાહોદથી: અશ્વિન જે. રાઠોડ, આશાબેન આર. દેસાઈ
નવા વહીવટી તંત્રથી કાર્યક્ષમતા વધવાની અપેક્ષા
આ ફેરબદલ પછી, જિલ્લાના વહીવટી તંત્રમાં નવા ચહેરાઓ જોવા મળશે. નવું વહીવટી સંચાલન વધુ સુચારૂ અને અસરકારક બનશે તેવી અપેક્ષા છે.



